19તેમ છતાં માણસને પથારીમાં થતા દુઃખથી,અને તેનાં હાડકામાં વેદના આપીને તેમને સમજાવે છે.
20તેથી તેનું જીવન ભોજનથી,અને તેનો આત્મા સ્વાદિષ્ટ ભોજનથી પણ કંટાળી જાય છે.
21તેનું શરીર સુકાઈ જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે;તેનાં હાડકાં દેખાતાં ન હતાં તે હવે દેખાઈ આવે છે.
22ખરેખર, તેનો આત્મા કબરની પાસે છે,અને તેનું જીવન નાશ કરનારાઓની નજીક છે.
23માણસને શું કરવું સારું છે તે બતાવવાને,હજારો દૂતોમાંથી એક દૂત,મધ્યસ્થી તરીકે તેની સાથે હોય,
24અને તે દૂત તેેના પર દયાળુ થઈને ઈશ્વરને કહે છે કે,'આ માણસને કબરમાં જતાં અટકાવો;કારણ કે, તેના બચાવ કરવાની રકમ મને મળી છે,'
25ત્યારબાદ તેનું શરીર નાના બાળક કરતાં શુદ્ધ થઈ જશે;અને તે પાછો તેની યુવાનીના દિવસો પ્રાપ્ત કરશે.
26તે ઈશ્વરને પ્રાર્થના કરશે અને ઈશ્વર તેને કૃપા આપે છે,અને તે ઈશ્વરનું મુખ જોઈને આનંદ કરે છે.અને ઈશ્વર તે માણસને તેની પ્રામાણિક્તા પાછી આપે છે.
27ત્યારે તે માણસ અન્ય લોકોની સમક્ષ સ્તુતિ કરશે અને કહેશે કે,મેં પાપ કર્યું હતું અને જે સત્ય હતું તેને વિપરીત કર્યું હતું,પણ મારા પાપ પ્રમાણે મને સજા કરવામાં આવી નહિ.