1યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બસેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે:
2જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું,
2"જા, ગણિકા સાથે લગ્ન કર.તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે.કેમ કે મને તજીનેદેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે."
3તેથી હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યાં. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
4યહોવાહે હોશિયાને કહ્યું,
4"તેનું નામ યિઝ્રએલ રાખ.કેમ કે થોડા જ સમયમાંયિઝ્રએલના લોહીના બદલા માટેહું યેહૂના કુટુંબનો નાશ કરીશ,હું ઇઝરાયલના રાજ્યનોઅંત લાવીશ.
5તે દિવસે એવું થશે કેહું ઇઝરાયલનું ધનુષ્યયિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ."
6ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, " તેનું નામ લો-રૂહામા પાડ,કેમ કે હવે પછી હું કદીઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિતેઓને કદી માફ કરીશ નહિ.
7પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ,યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ.ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથીહું તેઓનો ઉદ્ધાર નહિ કરું.
8લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
9ત્યારે યહોવાહે કહ્યું,
9"તેનું નામ લો-આમ્મી પાડ,કેમ કે તમે મારા લોકો નથી,હું તમારો ઈશ્વર નથી."
10તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યાસમુદ્રની રેતી જેટલી થશે,જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે.તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, "તમે મારા લોકો નથી,"તેને બદલે એવું કહેવામાં આવશે કે, "તમે જીવંત ઈશ્વરના લોકો છો."
11યહૂદિયાના લોકો તથા ઇઝરાયલના લોકોએકત્ર થશે.તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને,દેશમાંથી ચાલી નીકળશે,કેમ કે યિઝ્રએલનો દિવસ મોટો થશે.